મિત્રો,
આજે મારા દ્વારા અનુવાદિત ૧૪મું પુસ્તક પ્રગટ થઇ ગયું છે. 'ભારતના પ્રથમ સાહિત્યિક પોપસ્ટાર' તરીકે વિખ્યાત અમીશ ત્રિપાઠીએ 'શિવકથન નવલકથાત્રયી' પછી 'રામ ચંદ્ર શ્રેણી'નું પ્રથમ પુસ્તક 'ઇક્ષ્વાકુના વંશજ' નામે આપ્યું છે.
'રામાયણ'ની વાર્તા તો અાપણે બધાં જ જાણીએ છીએ પણ તેમાં કેટલીક વિગતો ખૂટતી હોય તેમ નથી લાગતું? જેમ કે, 'રામાયણ'ના પ્રારંભમાં જ રાજા દશરથ એક યુદ્ધ લડે છે અને તેમાં જ કૈકેયીને તેની કોઈ પણ બે ઇચ્છાઓ પૂરી કરવાનું વચન આપે છે, પણ એ યુદ્ધ તેમણે કોની સાથે કર્યું હતું? સ્વયં ખૂબ જ શક્તિશાળી હોવા છતાં મહર્ષિ વિશ્વામિત્રને અસુરો સામે લડવા માટે બાળ રામની જરૂર શા માટે પડે છે? માત્ર ભ્રાતાભક્તિને કારણે જ ભરત રામની પાદુકાને રાજસિંહાસન પર સ્થાન અાપે છે કે તે સમયની કોઈ રાજકીય ગણતરી પણ તેમાં રહેલી છે? અત્યંત બુદ્ધિશાળી માનવામાં આવતી સીતા માત્ર મૃગચર્મ માટે રામને કેમ મૃગ પાછળ મોકલે છે? કેવી રીતે રાવણે બનાવી સોનાની લંકા?
અમીશની વાતમાં શ્રદ્ધાથી વધારે મહત્વનો હોય છે તર્ક અને અાવા કેટલાયે પ્રશ્નોના ઉત્તર તેમણે 'ઇક્ષ્વાકુના વંશજ'માં આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ તત્કાલીન ભારતના સૌથી વધુ વેચાતા લેખક અમીશ ત્રિપાઠીના આ પુસ્તકને વાંચવું જ રહ્યું.
'નવભારત સાહિત્ય મંદીર' દ્વારા પ્રકાશિત આ પુસ્તક Dhoomkharidi.com અને Amazon.in પર પણ ઉપલબ્ધ છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.