વિદેશમાંથી સ્વદેશ જવાનું થાય એટલે પહેલા
બે-ત્રણ અઠવાડિયાં તો ખરીદી કરવામાં જ જાય. મારું ફેવરિટ શૉપિંગ પ્લેસ એટલે ગાંધી-રોડ
પર આવેલ ‘નવભારત સાહિત્ય મંદિર’. ગયા બુધવારે જ (૨૧/૧૧/૨૦૧૨) ત્યાં જવાનો મેળ પડ્યો
અને તેના કર્તા-હર્તા શ્રી મહેન્દ્રભાઈ શાહે બે સમાચાર આપ્યાં. એક સારા છે અને બીજા
ખરાબ.
ખરાબ સમાચાર એ છે કે આપણા પ્રિય અશ્વિની
ભટ્ટ માંદા છે. લાભ-પાંચમના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળ્યા બાદ તેમણે એમ કહ્યું
હતું કે તેઓ તેમના ચાહકોને કારણે જ આ વખતે પણ ઊગરી ગયા છે. અત્યારે તો તેમના પેંગડામાં
પગ મૂકી શકે તેવો એક પણ લેખક આપણી પાસે નથી. એ ઉત્તમ લેખક અને ઉમદા માનવીના સ્વાસ્થ્ય
માટે ઉપરવાળાને પ્રાર્થના.
સારા સમાચાર એ છે કે ૨૦૧૩માં નવભારત સાહિત્ય
મંદિર ૧૦૦ eBooks લઈને આવવાનું છે. તે પુસ્તકો કયા હશે, તે પ્રશ્નનો જવાબ ન મળ્યો.
તે કયા ફોરમેટમાં હશે, તેનો જવાબ પણ ન મળ્યો પણ મારી ધારણા છે કે ePub માં જ હશે. મહેન્દ્રભાઈએ એમ પણ કહ્યું કે એ પ્રયોગની સફળતા
પર ભવિષ્યના ઘણાં નિર્ણયોનો આધાર છે. જો એ eBooks પ્રકાશિત થશે, તો ગુજરાતી ભાષાના
પુસ્તકોને ડિજિટલ એજમાં લઈ જવાની દિશામાં તે એક મહત્વનું સીમાચિહ્ન બની રહેશે.
Fingers crossed.
નવેમ્બર,૨૦૧૨થી 'અવનીત સમર્પણ'ના ડીજીટલ સંસ્કરણ બાદ ગુજરાતી પ્રકાશન વ્યવસાય પણ ડીજીટલ યુગમાં પ્રવેશ કરશે, તે ખરેખરે બહુ જ મહ્ત્વની ઘટના કહી શકાય.
જવાબ આપોકાઢી નાખોઅશોકભાઈ,
કાઢી નાખોઆતો હજી વાત છે. નક્કર કામ થાય ત્યારે માનવું કે થયું કારણ કે આવી વાત આ પહેલા પણ સાંભળવા મળી હતી.