બહુ ઓછા એવા ગુજરાતી લેખકો હશે કે જેમના પ્રશંસકોને હુલીગનની કક્ષામાં મૂકી શકાય. ચંદ્રકાંત બક્ષી એવા જ બળુકા અને અસરદાર લેખકોમાંના એક હતાં અને તેમના 'હુલીગન' ચાહકોનો મેળાવડો એકવાર જોયો હતો. ૧૯૯૯માં જ્યારે તેઓ મુંબઈ શહેરના શેરીફ તરીકે નિમણૂક પામ્યા ત્યારે નવભારત સાહિત્ય મંદિર તરફથી તેમનો સન્માન સમારંભ યોજાયો હતો અને તેમને સાંભળવાનો મોકો મળ્યો હતો. શરૂઆતના વક્તાઓના નિરસ 'બે શબ્દો' પછી જ્યારે તેમણે માઈક પાછળ ઊભા રહીને પ્રથમ બે શબ્દો 'યાર બાદશાહો' કહ્યાં, ત્યારે ભરચક ઠાકોરભાઈ હૉલમાં એક મિનિટથી વધારે તાળીઓનો ગડગડાટ સંભળાતો રહ્યો હતો. કાર્યક્રમ પત્યા બાદ તેમને મળવા અને ઓટોગ્રાફ માટે પણ ચાહકોનો ધસારો થયો હતો. શરૂઆતના બે-ચાર વાચકોને ઓટોગ્રાફ આપ્યા બાદ તેઓ મક્કમતાથી આગળ વધી ગયા હતાં.
જૂની ડાયરીઓ ફંફોસતા આજે આ આમંત્રણ પત્રિકા હાથમાં આવી ગઈ ત્યારે ચાહકોની તાળીઓના ગડગડાટ વચ્ચે સસ્મિત ઊભા રહેલા બક્ષી બાબુ અને પીઠ પર ધબ્બો મારીને આ આમંત્રણ આપનાર, નવભારત સાહિત્ય મંદિરના મહેન્દ્રભાઈ શાહ બંને યાદ આવી ગયા.
રિલેટેડ બ્લૉગપોસ્ટ્સઃ
Lucky One !
જવાબ આપોકાઢી નાખો& by the way , wht's written on the Invitation ? :)
નિરવભાઈ,
કાઢી નાખોહાજર રહેલા વ્યક્તિઓ વિશે થોડીક નોંધ કરેલી.
બહુ અમૂલ્ય સંભારણું મળ્યું.
જવાબ આપોકાઢી નાખોઆભાર હીનાબહેન.
કાઢી નાખોwaah...Chiragbhai...! ;)
જવાબ આપોકાઢી નાખો